અમદાવાદ/ શારદાબેન હોસ્પિટલમાં વૃદ્ધનો આપઘાત, પાંચમા માળેથી ઝંપલાવ્યું

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં કોરોના વાયરસે માઝા મૂકી છે, ત્યારે આ વાયરસથી શહેર અને જીલ્લામાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Ahmedabad Gujarat
A 259 શારદાબેન હોસ્પિટલમાં વૃદ્ધનો આપઘાત, પાંચમા માળેથી ઝંપલાવ્યું

દેશમાં એક તરફ કોરોનાનો કહેર એટલી હદે વધી ગયો છે કે તેની સીધી અસર હવે વ્યક્તિઓના માનસ પર થવા લાગી છે. કેટલાક ઉંમર લાયક વ્યક્તિઓ કોરોના કારણે નહી પરંતુ તેના કહેરમાં મોતને ભેટી રહ્યા છે, અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ૬૫ વર્ષીય વૃદ્ધે શનિવારે કોરોનાની ચાલુ સારવાર દરમિયાન જ હોસ્પિટલમાંથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વૃદ્ધ છેલ્લા ત્રણેક દિવસથી શારદાબેન હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ હતા અને હોસ્પિટલનો માહોલ જોઈને તેમને મનમાં લાગી આવ્યું હતું. એટલું જ નહીં બે દિવસ અગાઉ એક કોરોના દર્દીનું મોત થતાં પોતે પણ તણાવમાં આવી ગયા હતા.

મૃતક રસિકભાઈ ઠાકોર ઘોડાસરના રહેવાસી હતા અને થોડા દિવસ અગાઉ સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા.

આ દરમિયાન રસિક ઠાકોરના કેટલાક કોરોનાનાં લક્ષણો લાગતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરી હાલ અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસે મૃતકના પરિવારજનોને પૂછતા પરિવારજનોએ પણ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આવી ઘટનાઓ વારંવાર સામે આવતી અટકશે…

આ પણ વાંચો :કોરોના સંકટને જોતા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું ટ્વિટ, CM રૂપાણીને કરી આ અપીલ

આ પણ વાંચો :રાત્રી કરફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ તો બીજી બાજુ ઓક્સિજન પ્લાન્ટ પર સરકાર રાખશે સીધું મોનીટરીંગ : વિજય રૂપાણી

આ પણ વાંચો :PM મોદીએ કુંભ મેળાને લઈ કરી અપીલ, કહ્યુ – કોરોના સંકટને કારણે હવે…