Not Set/ કોરોનાથી મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 891નાં મોત

કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 891 નાં મોત થયા છે.

India
ahemdabad corona 1 કોરોનાથી મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 891નાં મોત

ભારતમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર અતિ ઘાતક નિવડી રહી છે. કોરોનાથી અનેક લોકો મરી રહ્યા છે.દેશની હાલત એટલી ખરાબ છે હોસ્પિટલોમાં બેડ પણ નથી અને ઓક્સિજનની અછત પણ વર્તાઇ રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 51880થી વધુ નવા કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે અને 891 લોકોના મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં નવા કોરોના કેસોમાં ઘટોડો નોંધાયો છે પરતું કોરોનાથી મૃત્યુ વધી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51880 કેસો સામે આવ્યા છે.તે પ્રતિદિનની સરખામણીમાં ઓછા જોવા મળ્યા હતા. જે રાજ્ય માટે સારી વાત છે. કોરોનાથી 65934 લોકોએ કોરોનાને માત આપીને સારા પણ થયાં છે.જયારે 891 લોકોના મોત નિપજ્યાં છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ સંક્રમણના કેસો 641910 છે જયારે  71742 કુલ મોત થયા છે.