દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા બે લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેને લઈ ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ભારતના ઘણા રાજ્યોમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જે બે લોકોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે, તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે, જેથી તેઓમાં કયો પ્રકાર છે. તે તપાસી શકાય. હાલમાં દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરીએંટ ઓમીક્રોમએ વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યો છે.
દક્ષિણ આફ્રિકાથી 94 લોકો આવ્યા હતા, તપાસ બાદ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે
કોવિડ-19નું નવું સ્વરૂપ વિશ્વમાં હલચલ મચાવી રહ્યું છે. તેથી, તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા 94 લોકોનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બે લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તેમની પાસે કયું વેરિઅન્ટ છે, તેની પુષ્ટિ થઈ શકી નથી. તે જીનોમ સિક્વન્સિંગ દ્વારા શોધી કાઢવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં, જે બે લોકોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે, તેમના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે, જેથી તેઓમાં કયો પ્રકાર છે. તમને જણાવી દઈએ કે કોરોનાના આ નવા ખતરાને લઈને સમગ્ર વિશ્વમાં ગભરાટ છે.
ઓમિક્રોન / હોંગકોંગના પુરાવા, ઓમિક્રોન સામે નવી રસી બનાવવી પડી શકે છે
સુરત / ડાયમંડ બુર્સની સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપ વે તૂટતા એક શ્રમિકનું મોત
National / ઇમર્જન્સી બેઠકમાં PM મોદીની તાકીદ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા અંગે પુનઃવિચાર જરૂરી