Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં લોકડાઉન હોવા છતા નથી ઓછા થઇ રહ્યા કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

ભારતમાં કોરોના વાયરસનાં ચેપની ઘટનાઓ સતત વધી રહી છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાને આરે છે, પરંતુ હજી સુધી કોરોના નિયંત્રિત થઈ શક્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં નવા 3,604 કેસ નોંધાયા છે અને કોવિડ-19 ને કારણે 87 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા ડેટા મુજબ, દેશભરમાં કોરોના વાયરસનાં […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 19 #CoronaUpdateIndia/ દેશમાં લોકડાઉન હોવા છતા નથી ઓછા થઇ રહ્યા કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા...

ભારતમાં કોરોના વાયરસનાં ચેપની ઘટનાઓ સતત વધી રહી છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાને આરે છે, પરંતુ હજી સુધી કોરોના નિયંત્રિત થઈ શક્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં નવા 3,604 કેસ નોંધાયા છે અને કોવિડ-19 ને કારણે 87 લોકોનાં મોત નીપજ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા ડેટા મુજબ, દેશભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 70,756 ની આસપાસ થયા છે અને કોવિડ-19 થી 2,293 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાં કુલ 70,756 કેસોમાં 46,008 સક્રિય કેસ છે, જ્યારે 22,454 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા તેઓને ઠીક કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 868 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 23,401 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.