up news/ રામ મંદિરની દાનપેટીઓમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાનું હવે થશે વીડિયોગ્રાફી

રામ મંદિર (Ram Mandir) માં દાનપેટીથી ગણતરી કક્ષ સુધીની સમગ્ર દાન પ્રક્રિયાનું હવે પારદર્શિતા માટે વીડિયોગ્રાફી કરાશે.

Top Stories India
RAM MANDIR

Ayodhya Ram Mandir: અયોધ્યાના રામ મંદિર અને સમગ્ર મંદિર પરિસરમાં ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલી દાનપેટીઓમાંથી રોકડ રકમ કાઢવાની અને તેને યાત્રી સુવિધા કેન્દ્રના ગણતરી કક્ષ સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયાનું હવે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ નિર્ણય તપાસ દરમિયાન એસઆઈટી (SIT) દ્વારા આપવામાં આવેલા નિર્દેશો બાદ લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, અત્યાર સુધી દાનપેટીઓમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ કાઢીને ગણતરી કક્ષ સુધી લઈ જવાની પ્રક્રિયાનું કોઈ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવતું ન હતું. જેના કારણે કઈ દાનપેટીમાંથી કેટલા રૂપિયા, સોનું-ચાંદીના દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓ મળી હતી તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ રહેતી નહોતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખામીનો લાભ ઉઠાવીને કલેક્શન એજન્સી, ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ દ્વારા દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓની ગેરરીતિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે દાનપેટી ખોલવાથી લઈને નાણાં અને કિંમતી ચીજવસ્તુઓને ગણતરી કક્ષ સુધી પહોંચાડવાની દરેક પ્રક્રિયાનું વીડિયોગ્રાફી કરાશે. આ પગલાથી પારદર્શિતા વધશે તેમજ દાનની રકમ અને કિંમતી વસ્તુઓના સંચાલનમાં ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.


આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં નિવૃત્ત IAS અધિકારી સંભાળશે કમાન, ટૂંક સમયમાં થશે CEO ની નિમણૂક

આ પણ વાંચો: સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ

આ પણ વાંચો:અયોધ્યામાં 3 જૂનથી બીજી પ્રાણ પ્રતિષ્ઠા;જાણો રામ મંદિરમાં કોના સ્વાગત માટે થઈ રહી છે તૈયારીઓ ?