Ahmedabad News: હાર્દિક પટેલને પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ સમયે પોલીસ સાથે ગેરવર્તણૂંકના કેસમાં રાહત મળી નથી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોના અંતે હાલ કેસ મુક્તિની અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. હાર્દિક પટેલની કેસમુક્ત થવાની અરજીમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજુર કરી છે.આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
આ મામલો ગ્રામ્ય કોર્ટે તમામ દલીલને અંતે આ નિર્ણય લેતા તેમની કેસમાંથી મુક્તિની અરજી ફગાવી છે.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હતી. આ કેસનો આજે કોર્ટમાં ચુકાદો હતો
શું હતો સમગ્ર કેસ ?
નિકોલમાં 2018માં આ સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉપાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. આ કેસમાં લાંબા સમયથી દલીલો બાદ આજે અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.
આ પણ વાંચો:કુરિયર કંપનીના ત્રણ ડિલીવરી બોયે 1 લાખના પાર્સલ બારોબાર વેચી દીધા
આ પણ વાંચો:ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી લાલ આંખ, કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચના
આ પણ વાંચો:મજાકમાં 19 વર્ષના યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ભરી દીધી હવા, થયું મોત
આ પણ વાંચો:લાકડાના રમકડાં બનાવનારની હાલત કફોડી,એક સમયે જામતી હતી ભારે ભીડ