કેરળમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. આ નવા સબ વેરિઅન્ટને JN.1 નામ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 નવેમ્બરે 79 વર્ષીય મહિલાના સેમ્પલનું RT-PCR માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે JN.1 થી ચેપગ્રસ્ત મળી આવી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI)ના લક્ષણો જોવા મળ્યા હતા. તે હવે કોરોનામાંથી સ્વસ્થ થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19 સંબંધિત 90 ટકા કેસ ગંભીર નથી. ચેપગ્રસ્ત લોકો તેમના ઘરોમાં ક્વોરેન્ટાઇન થઈને સ્વસ્થ થઈ રહ્યા છે. આ પહેલા સિંગાપોરમાં આવો કિસ્સો સામે આવ્યો હતો. અહીં, એક ભારતીય મુસાફરમાં JN.1 ચેપના લક્ષણો જોવા મળ્યા હતા. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી છે. તે 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુમાં પણ JN.1 ના ચેપના કેસ નોંધાયા હતા. પરંતુ તેમાં કોઈ વૃદ્ધિ નોંધાઈ ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં હજુ સુધી JN.1 વેરિઅન્ટનો કોઈ અન્ય કેસ નોંધાયો નથી. કોવિડ-19ના આ સબ-વેરિઅન્ટ JN.1 થી સંબંધિત કેસ લક્ઝમબર્ગમાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. અહીંથી તે ઘણા દેશોમાં ફેલાઈ ગયો. આ તમામ પ્રકારો BA.2.86 થી સંબંધિત છે.
જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ચીફ ડૉ. એન.કે. અરોરા કહે છે કે તે નવેમ્બરમાં પહેલીવાર મળી આવ્યો હતો. બાદમાં આ પ્રકારને અલગ કરવામાં આવ્યો હતો. આ BA.2.86 નું પેટા પ્રકાર છે. તેમની પાસે જેએન.1ના ઘણા કેસ છે. તેમણે કહ્યું કે, ભારત આ બાબતો પર નજર રાખી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ હોસ્પિટલમાં ગંભીર બીમારી નોંધાઈ નથી. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન રાજીવ જયદેવન કહે છે કે સાત મહિનાના અંતરાલ પછી ભારતમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળ કોવિડના કેસ મળી રહ્યા છે, પરંતુ તેની ગંભીરતા ઓછી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો
આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત
આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ