દાદરાનગર હવેલી,
દાદરાનગર હવેલીમાં આવેલી સ્ટીલ પ્રોડક્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. નરોલી કનાડી ખાતે આ સ્ટીલ કંપની આવેલી છે. જ્યાં બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના મોત થયા હતા.
જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસથળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાત ધરી હતી.