ગુજરાત,
ગુજરાતના શિક્ષણમંત્રીએ નવા વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ માટે નવો નિયમ જાહેર કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ હાજરી પુરવા સમયે યશ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય હિંદ કે જય ભારત બોલવાનો નિયમ જાહેર કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા સંચાલકોને નિયમનું પાલન કરાવવાનો આદેશ આપ્યો છે.
1 જાન્યુઆરીથી નિયમનું અમલીકરણ કરવાની સૂચના આપી છે…ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે દેશ ભક્તિના ઉદ્દેશથી આ નિયમ બનાવવામાં આવ્યો છે..નિર્ણયને લઇને શાળાના પ્રિન્સીપાલ અને વિદ્યાર્થીઓએ નિવેદન આપ્યુ હતું..