ગુજરાતનાં રોડ અને લોહી વચ્ચે અટુટ સબંધો બંધાય ગયા હોય તેવુ લાગી રહ્યું છે, હજુ તો ભરૂચ નજીક હાઇવે પર લુવારા પાટિયા પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા, દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા અને 7 લોકો ઘાયલ થયાનાં સમાચારોની સાહી સુકાવા પામી નથી ત્યાં જ બીજા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી ગયા અને આ અકસ્માતમાં પણ ત્રણ લોકોના માત થયાનું સામે આવી રહ્યું છે.
જી હા ફરી પાછો દાહોદ જિલ્લાનાં દેવગઢબારીયાનાં સિગેડી ગામે ટ્રક અને બાઈકસવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત નીપજ્યા હતા. અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક લોકોને જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. મરનાર મધ્ય પ્રદેશનાં મેધનગરનાં હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. પોલીસ ધટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.