ahmedabad accident/ અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેનાં મોત

અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા છે. અજાણ્યા વાહનચાલકે કારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ચાર મિત્રો રાત્રે જમવા નીકળ્યા હતા અને આ અકસ્માત થયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Accident 2 અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેનાં મોત

અમદાવાદઃ અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા છે. અજાણ્યા વાહનચાલકે કારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ચાર મિત્રો રાત્રે જમવા નીકળ્યા હતા અને આ અકસ્માત થયો હતો.

અમદાવાદ બગોદરા હાઇવે પર રોયકા ચોકડી ખાતે અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં અન્ય બે યુવકોને ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોમાં એકને અમદાવાદ સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને બાવળા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સિવાય અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેની સાથે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી હતા કે નહી તે પણ પોલીસ ચકાસી રહી છે. નજીકના ચેકનાકાઓને પણ પોલીસે સાવધ કરી દીધા છે અને જણાવ્યું છે કે કોઈ અકસ્માતનો ભોગ બનેલું તૂટેલું વાહન જતું જણાય તો તરત જ જાણ કરવી. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અકસ્માત સર્જનારા વાહનચાલકને ટૂંક સમયમાં પકડીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Jammu Kashmir/ શોપિયામાં સેના અને TRF આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ પણ વાંચોઃ  Gurugram Bus Fire/ ગુરુગ્રામમાં મુસાફરોથી ભરેલી વોલ્વો બસમાં આગ લાગતા અફરાતફરી મચી,બે લોકોના મોત

આ પણ વાંચોઃ Cash For Query Row/ મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધશે, એથિક્સ કમિટીએ સાંસદ પદ રદ કરવાની કરી માગ