મનીલા
ફિલિપાઈન્સમાં ગયા અઠવાડિયે માખુંત તોફાન આવ્યા પછી બે વખત ભૂસ્ખલન થયું હતું. આ ઘટનાને લીધે મરનારની સંખ્યા ૯૫ થઇ ગઈ હતી.
સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે ખાણ માટે પ્રસિદ્ધ ઇટોગોન શહેરમાંથી ૪૯ મૃતદેહ નીકળવામાં આવ્યા હતા. બચાવકર્મીઓ હાલ પણ અન્ય ગુમ થયેલા લોકોની તલાશ કરી રહી છે.
અધિકારીના કહેવા પ્રમાણે હાલ પણ ૧૯થી વધુ લોકો લાપતા છે. ભૂસ્ખલનના લીધે નાગા શહેરમાં ૪૦થી વધુ લોકોને શોધવા માટે બચાવકર્મીઓ હાલ પ્રયત્ન કરી રહ્યા છે.
ભૂસ્ખલનના લીધે ઘણું નુકશાન થયું છે જેમાં ૩૦થી વધુ ઘર જમીનદોસ્ત થઇ ગયા છે.
ફિલિપાઈન્સમાં માખુંત તોફાન અને બે ભૂસ્ખલનના લીધે આશરે ૨૦૦ જેટલા લોકોના મૃત્યુ થયા છે.માખુંત તોફાને ફિલિપાઈન્સમાં નુકશાન કર્યા બાદ હોંગ-કોંગ અને દક્ષીણ ચીનમાં પણ ઘણું નુકશાન થયું છે. ફિલિપાઈન્સમાં માખુંત તોફાનને લીધે ૧૬ લાખ ખેડૂત અને માછીમારોને વધારે નુકશાન પહોચ્યું છે.