ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આવેલું દશાનન મંદિર જે રાવણને સમર્પિત છે તે વર્ષનાં એક જ દિવસ ખોલવામાં આવે છે. દશેરાના દિવસે ઘણાં લોકો રાવણની પૂજા કરે છે. રાક્ષસોના રાજા રાવણની પણ આ દિવસે ભક્તો આરાધના કરે છે.
આ મંદિર યુપીનું એક્લોતું રાવણ મંદિર છે. આ મંદિર આખા વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખુલે છે અને ભક્તો મોટી સંખ્યામાં અહી મંદિરમાં રાવણના દર્શન માટે આવે છે. આ મંદિર 1890 આસપાસ મહારાજ ગુરુ પ્રસાદ શુક્લ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એટલે બનાવવામાં આવ્યું છે કારણકે રાવણ પંડિત હતા અને શિવના મોટા ઉપાસક હતા.
દશાનન મંદિરનાં પુજારીનું કહેવું છે કે , ‘ એવું માનવામાં આવે છે કે આજે રાવણનો જન્મ અને મૃત્યુ દિવસ બંને છે. અમે આ મંદિર માત્ર એક દિવસ માટે જ ખુલ્લું રાખીએ છીએ. સાંજે રાવણનાં પૂતળાના દહન બાદ મંદિરને બંધ કરી દેવામાં આવશે.’