લોકસભાની ચુંટણીનાં પાંચ ચરણ પૂર્ણ થઇ ગયા છે, હવે બે ચરણ બાદ કયા પક્ષનો નેતા પીએમ બનશે તેના પર સૌ કોઇની નજર રહેશે. પરંતુ આ ચુંટણીમાં સત્તા મેળવવાની લાલસા નેતાઓમાં એવી જોવા મળી કે તે ભૂલી ગયા કે શું બોલવુ અને ક્યા બોલવુ. રોજ કોઇને કોઇ નેતા પોતાના વિવાદિત નિવેદનથી ભાષાનાં સ્તરને વધુ નીચે લઇ જઇ રહ્યુ છે. આ હરોડમાં હવે જેડીયુનાં પ્રવક્તાએ પણ પ્રવેશ કરી દીધો છે. જેડીયુ પ્રવક્તા સંજય સિંહએ આરજેડી સાંસદ અને લાલૂ પ્રસાદ યાદવની મોટી દિકરી મીસા ભારતીની તુલના શૂર્પણખા સાથે કરી છે.
આરજેડીનાં સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવની મોટી દિકરી તથા પાટલિપુત્ર બેઠકથી ઉમેદવાર મીસા ભારતીને લઇને જેડીયુ પ્રવક્તાએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. જેડીયુ પ્રવક્તા સંજય સિંહે મીસાની તુલના રાવણની બહેન શૂર્પણખા સાથે કરી છે. આ નિવેદન બાદ બિહારની રાજનીતિ ફરી એકવાર ગરમાઇ છે. સંજય સિંહે વધુમાં કહ્યુ કે, જે રીતે પ્રાચિનકાળમાં શૂર્પણખા રાવણ અને વિભિષણ વચ્ચે ઝગડો કરવતી હતી તે જ રીતે મીસા તેજપ્રતાપ અને તેજસ્વી યાદવ વચ્ચે ઝગડો કરાવી રહી છે. વધુમાં કહ્યુ કે, તે બંન્ને ભાઇઓની લડાઇની આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે.