દ્વારકા,
દ્વારકામાં પુત્રીએ માતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરનાર પુત્રી માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લખેનીય છે કે, દ્વારકાના સલાયા વિસ્તારમાં ધનશેરીમાં રહેતા અમીનાબેનની હત્યા તેમની પૂત્રીએ કરી નાંખી હતી.
તેમની પુત્રીએ આ હત્યા કયા કારણોસર કરી તે અકબંધ છે. પૂત્રીએ જ માતાની હત્યા કરતાં એક સમયે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડીને પીએમની કાર્યવાહી કરી હતી. તેમજ પુત્રીએ કયાં કારણોસર હત્યા કરી તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.