૬ ડીસેમ્બરે ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા લ્લાલું યાદવ ની જમીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તિજોરીમાંથી ઉચાપત મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર શુક્રવારે ફરી સુનાવણી થઈ શકી નથી
હવે તેમની જામીન અરજી પર છ ડિસેમ્બરે સુનાવણી થઈ છે. હશે લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી શુક્રવારે બપોરે ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની ખંડપીઠ સમક્ષ થવાની હતી પરંતુ ફરી એક વખત તેમની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. હવે આ મામલે 6 ડિસેમ્બર, શુક્રવારે સુનાવણી થશે.
આ અગાઉ 22 નવેમ્બરના રોજ વકીલના મોત અંગે શોકની સભાને કારણે આ કેસમાં સુનાવણી થઈ શકી ન હતી અને કેસ મુલતવી રાખવામાં આવ્યો હતો. સીબીઆઈ આ મામલે કોર્ટ સમક્ષ પોતાનો જવાબ પહેલેથી જ રજૂ કરી ચૂકી છે, જેમાં તેણે લાલુને આ કેસમાં જામીન આપવાનો સખ્ત વિરોધ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.