મુંબઈ,
અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી રાધિકા આપ્ટેની એક નવી ફિલ્મ આવી રહી છે. હાલમાં જ નિર્દેશક શ્રીરામ રાઘવને પોતાની આ નવી ફિલ્મની જાહેરાત કરી હતી. આયુષ્માને પણ પોતાના ઈંસ્ટગ્રામ પર એક વીડિઓ અને ફિલ્મનું પોસ્ટર શેર કરીને જાણકારી આપી હતી.
બોલીવૂડના જાણીતા નિર્દેશક શ્રીરામ રાઘવન ખુબ જલ્દી એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ “અંધાધુન” છે. બુધવારે ફિલ્મના કલાકારો સાથે નિર્દેશક શ્રીરામ રાઘવને સોશિયલ મિડિયા પર આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. સાથે જ જાણકારી આપવામાં આવી હતી કે ગુરુવારે ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અભિનેત્રી તબ્બુ પણ જોવા મળશે.
આયુષ્માન ખુરાનાએ થોડા સમય પહેલા જ પોતાના ઈંસ્ટગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ અંધાધુન નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ચુકી છે. ફિલ્મના પોસ્ટરમાં કાળા રંગના તૂટેલા ચશ્માં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 31 ઓગસ્ટ 2018ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. શ્રીરામની આ ફિલ્મ થ્રીલર હશે. આ ફિલ્મમાં આયુષ્માન એક એવા પીઆનીસ્ટની ભૂમિકા ભજવશે, જે જોઈ શકતો નથી.