મુંબઇ
સૈફ અલી ખાન અને અમૃતા સિહની પુત્રી સારા અલી ખાનની ફિલ્મ ‘સિંબા’ રીલીઝ થઈ છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 150 કરોડ રૂપિયાનો ધંધો કર્યો છે ત્યારે હવે સારા અલીની ગણત્રી સફળ અભિનેત્રીમાં થવાની શરૂ થઇ છે.
આ પહેલા સારાની ફિલ્મ ‘કેદરનાથ’ પણ રીલીઝ થઈ હતી અને દર્શકોને ફિલ્મ પસંદ આવી હતી.
ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે સારાને તેની માતા અમૃતા સિંહ મદદ કરી રહી છે અને સારા માટે સ્ક્રિપ્ટની પસંદગી કરે છે.સારાની સફળતાનો શ્રેય તેની માતાને આપી શકાય.અમૃતા સિંહે તેની કરિયર દાવ પર લગાવીને તેના બંને સંતાનો સારા અને ઇબ્રાહીમનો ઉછેર કર્યો છે.હમણાં મીડીયા દ્રારા અમૃતા સિંહને પુછવામાં આવ્યું કે, પતિ વગર ઇબ્રાહિમ અને સારાની સંભાળ કેવી રીતે રાખી શક્યા? આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું કે, “જ્યારે જવાબદારી માથા પર પડે છે, ત્યારે બધુ જ આપ મેળે આવડી જાય છે.”
જો કે જ્યારે અમૃતા સિંહને પુછવામાં આવ્યું કે તેમણે બીજા લગ્ન કેમ ના કર્યા? તેના જવાબમાં અમૃતા સિંહ મૌન રહ્યા હતા.
અમૃતા સિંહે કહ્યું કે મેં મારા બાળકોને શિસ્ત અને આપમેળે કેવી રીતે કરિયર બનાવવી તેના પાઠ શીખવાડ્યા છે.મને આનંદ છે કે સારા તેમાં સફળ થઇ છે.
સિમ્બાનો રોલ મેળવવા માટે સારાને ના તો સૈફ અલીએ મદદ કરી છે ન તો અમૃતાએ. આ રોલ મેળવવા સારા રોહિત શેટ્ટીની ઓફિસ પર એકલી પહોંચી હતી અને હાથ જોડીને રોલ લેવા વિનંતિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ‘કેદારનાથ’ ફિલ્મ પહેલા સારા અલી ખાનને ઘણી ફિલ્મોની ઑફર મળી હતી, પરંતુ અમૃતા સિંહે વિચારીને સુશાંત સિંહ રાજપુત સાથે ‘કેદારનાથ’ ફિલ્મથી તેનું ડેબ્યૂ કરાવ્યું.
સની દેઓલ ઇચ્છતો હતો કે સારા અલી ખાન તેના દીકરા કરણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં કામ કરે, પરંતુ અમૃતા સિંહે ના કહી દીધી હતી. સની દેઓલ આવું એટલા માટે ઇચ્છતો હતો કારણ કે તેણે અમૃતા સિંહ સાથે ‘બેતાબ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતુ.