મુંબઇ,
વર્સોવા પોલીસ સ્ટેશનમાં અભિનેતા આદિત્ય પંચોલી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આદિત્ય પર કાર ડીલર સાથે અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ છે. એવો આરોપ છે કે આદિત્યએ પૈસાને લઈને વિવાદમાં એક કાર ડીલરના સાથે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
મોહસિન કાદર રાજપકર નામની એક કાર મિકેનિકે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે માર્ચ 2017 માં આદિત્ય પંચોલીએ તેને કારની સર્વિસિંગ માટે ઘરે બોલાવ્યો હતો. તેની કાર બિલકુલ ચાલી રહી નહોતી, તેથી તેને જુહુના સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી. જો કે, એક્વિપમેંટની અછતને લીધે, કારની સર્વિસ થઇ શકી નહોતી અને લેન્ડ ક્રૂઝરને દિલ્હી મોકલવાની ફરજ પડી હતી. ફેબ્રુઆરી 2018 માં ગાડી મુંબઇ પરત આવી. તે બધામાં લગભગ 2 લાખ 80 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.
જ્યારે ગાડીને આદિત્યના ઘરે લઈ જવામાં આવી હતો તેને ગેરવર્તન કર્યું. તેઓએ ફોન પર અપશબ્દો પણ કહ્યા. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. આક્ષેપો વિશે આદિત્ય પંચોલીને જયારે પૂછવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે તે બધુ જ જૂઠાણું છે. તેમણે બધું જ પેમેન્ટ ચૂકવી દીધું છે અને તેની પાસે બેન્ક સ્ટેટમેન્ટ પણ છે. તેમણે મારી કારને 1 વર્ષ માટે કોઈ પણ કારણ વગર તેમના પાસે રાખી હતી.