મુંબઈ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણના લગ્નને લઈને ઘણા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. જેમાં તેમના વેડિંગ ડેસ્ટિનેશનથી લઈને લગ્નની તારીખ સુધી અનુમાન કરવામાં આવી રહ્યું છે. તહેતારમાં એવું પણ જાણવા મળ્યું હતું કે લગ્નને આગામી વર્ષ માટે ટાળવામાં આવ્યા છે. જો કે રણવીર અને દીપિકા બંને આ વાતને લઈને હજુ સુધી મીડિયામાં કંઈ જ કહ્યું નથી.
રણવીરે હવે પહેલી વાર દીપિકા સાથેના લગ્નની વાત પર રિએક્શન આપ્યું છે. એક ઇવેન્ટ દરમિયાન જયારે આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે મસ્તમોલા અંદાજનના માટે ફેમસ આ એક્ટરે એવો તો જવાબ આપ્યો કે બધા હસવા લાગ્યા.
રણવીર સિંહે કહ્યું કે લગ્નની વાતને લઈને લોકો કંઇક વધારે ઉત્સુક છે. તેમને પોતાને સમાચારથી લગ્નની તૈયારીઓ વિશે જાણવા મળે છે. રણવીરે ફની અંદાજમાં જ જણાવ્યું કે તેઓને બીજા દ્રારા ખબર પડે છે કે તેઓએ શેરવાની પણ ડીસાઈડ કરી દીધી છે.
રણવીરે વધુમાં કહ્યું કે જો તેઓ લગ્ન કરશે તો મીડિયાને સૌથી પહેલા જાણ કરશે અને આ વિશે છુપાવશે નહીં. આપને જણાવી દઈએ કે જ્યારી રણબીરે આ બધી વાત કરી ત્યારે દીપિકા તેમની બાજુમાં હતી.