રાહત/ બે મહિના બાદ જામનગરમાં બાગ બગીચા ખુલતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

જામનગરમાં બગીચા ખુલતા લોકોમાં આનંદની લાગણી

Gujarat
garden બે મહિના બાદ જામનગરમાં બાગ બગીચા ખુલતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

દેશ સહિત રાજ્યોમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોનાની મંદ ગતિના લીધે ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. સરકારે જાહેરાત કરી હતી તે  મુજબ ધાર્મિક સ્થળો અને બાગ-બગીચાઓ શહેરોમાં તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિરલ બાગ, રણજીતસાગર ઉધાન સહિતના બાગો આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સવારે છ વાગ્યે રણમલ તળાવ ખુલતાની સાથે જ મોર્નિંગ વોક માટે લોકો ઉમટ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રાખવા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી ખુલ્લા મુકવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી તમામ બાગ-બગીચાઓ ખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકો વહેલી સવારે જ મોર્નિંગ વોક માટે લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા. અહીં જામનગર વાસીઓ હળવી કસરત તેમજ રનીંગ અને વોકિંગ કરી દિવસની શરૂઆત કરી છે. છેલ્લા બે મહિનાથી જામનગર રહેવાસીઓ લોકડાઉનના કારણે ઘરની બહાર નીકળી શક્યા ન હતા. યંગ જનરેશન તેમજ સિનિયર સિટીઝનો પણ લાખોટા તળાવ ખાતે ઉમટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે જેના લીધે સરકારે અનલોકની જાહેરાત છૂટછાટ સાથે આપી હતી.જામનગરમાં બાગ બગીચાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.