નવી દિલ્હીઃ દેશમાં ડિજીટલ લેવડ-દેવડ અને કેશલેશ અર્થવ્યવસ્થા વિકસીત કરવા માટે 55 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડવા પર પર બેન્કિંગ ટ્રાન્જેક્શન પર ટેક્ષ અને પ્વાઇન્ટ ઓફ સેલ પીઓએસ (POS) મશીનથી ચુકવણી પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ રેડ MDR ને સમાપ્ત કરવાની ભાલામણ કરવામાં આવી છે.
નોટબંદીને ધ્યાનમાં રાખીને ડિજિટલ લવડ દેવડને વધારવા માટે નીતિ આયોગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુન નેતૃત્વમાં બનેલી ઉપ સમિતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની રિપોર્ટ સોપી છે. જેમા એ ભાલમણ કરવામાં આવી છે.
નાયડૂએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 50 હજાર રૂપિયાથી વધારે રોકડના ઉપયોગ કર લગાવવાની ભલામણ કરવામાં આવી છે.તેની સાથે DMR ને દૂર કરવાની ભલાણ કરવામાં આવી છે. સરકારી એજેન્સીઓ માં ડિજીટલ લેવડ દેવડ પર શૂન્ય કરવા કે નિચલા સ્તરે લઇ જવાની વાત કરવામાં આવી છે.