એસા ભી હોતા હે!!! બલીયામાં, ડોકટરોની બેદરકારીનાં કારણે નસબંધી નિષ્ફળ થયા બાદ 4 સંતાની માતા ફરીથી ગર્ભવતી થઈ ગઇ જતા ગરીબીથી પીડિત મહિલા સરકાર અને સરકારી ખાતા પર વિફર્યા હતા અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, તે પાંચમું સંતાન સરકારને આપશે. તેઓ પાંચમા બાળકને તેમની પાસે નહીં રાખે. તેઓ આ બાળકને સરકારને આપી દેશે. તે આ બાળકેને લઇ જઇને મુખ્યમંત્રીને સોંપી દેશે. મહિલાનાં આવા વલણને કારણે હવે પ્રશાસન પણ દુવીધામાં મુકાઇ ગયું છે.
વસ્તી નિયંત્રિત કરવા માટે કુટુંબ આયોજન જેવા કાર્યક્રમો ચલાવવા ઉપરાંત દેશમાં અને વારાણસીમાં આ સંદર્ભે પ્રચાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમનાંથી પાસેથી પ્રેરણા લઈને, જો કોઈ સ્ત્રી પોતાની નસબંધી કરે છે , તો પણ તે ગર્ભવતી થાય છે, તો શું કરવું? આવી જ કટોકટી બલિયા જિલ્લાનાં ચિત્બારાગાંવ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉસરૌલી ગામનાં વિભાબહેન સાથે થઈ છે.
સરકારના ‘નાના કુટુંબ-સુખી કુટુંબ’ ના નારા જોતાં, આ વર્ષે માર્ચમાં ચાર સંતાની માતા વિભાની ડોક્ટરોએ નસબંધી કરી હતી. નસબંધી પછી બે મહિના પછી તેને જાણ થઇ કે, તેણીને ફરીથી બે મહિનાનો ગર્ભ રહી ગયો છે.અચ્છેલાલ રાજભરની પત્ની વિભા, જે મહેનત-મજૂરી કરીને સંતાનો અને પરિવારનો ખર્ચ સંભાળે છે. તે હવે બે મહિનાથી વધુ સમયથી ગર્ભવતી થઈ ગયો છે. વંધ્યીકરણ નિષ્ફળ થયા પછી ગર્ભવતી બનેલી મહિલાના પતિનું કહેવું છે કે, ડોક્ટરોએ ઘોર બેદરકારી દાખવી છે. તેને પહેલાથી જ ચાર બાળકો છે જે ગરીબીને કારણે ઉછેરવામાં અસમર્થ છે. હવે પાંચમો આવે તો ફેમિલીની ગાડી કેવી દોડશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.