ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે હમઝા બિન લાદેનનાં મૃત્યુથી અલ-કાયદાને ન ફક્ત નુકસાન જ થયું છે, પરંતુ લાદેન પરિવારનાં અલ-કાયદા સાથેનાં સાંકેતિક સંબંધો પણ સમાપ્ત થયા છે. જેના કારણે અલ કાયદાની ઓપરેશનલ પ્રવૃત્તિઓને પણ નબળી પડી પડશે.
આ વર્ષે માર્ચમાં યુ.એસ.એ હમઝા બિન લાદેનના માથા પર 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. અમેરિકાએ કહ્યું કે હમઝા તેના પિતાનાં મૃત્યુનો બદલો લેવા અમેરીકા પર હુમલો કરવાની કાવતરું ઘડી રહ્યો છે. આ જોતા આટલા મોટા એવોર્ડની જાહેરાત કરવામાં આવી.
તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (યુએનએસસી) હમઝા બિન લાદેનને પ્રતિબંધ આંતકવાદીની સૂચિમાં સામેલ પણ કર્યો હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને યુ.એસ. એ હમઝા પર સખત નિર્ણયો લીધા બાદ સાઉદી અરેબીયાએ પણ હમઝાની નાગરિકતા રદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.