અમદાવાદ.
ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મગફળીમાં આગ લાગવાનાં બનાવોની તપાસ હાઇકોર્ટના સીટિંગ જજને સોંપવા અર્થે ચલાવવામાં આવી રહ્યું હતું. જે મુદ્દે હવે રાજ્યની સરકારનું વલણ નરમ પડ્યું છે અને તેમણે આ બાબતે તપાસની જાહૅરાત કરી છે.
રાજ્યની રૂપાણી સરકારે કમિશનર ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ હાઇકોર્ટનાં નિવૃત જજ એચ. કે. રાઠોડની તાપસ પંચની જાહેરાત કરી છે. મગફળીમાં આગ લાગવાનાં બાબતે આંદોલન ચલાવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટથી સાબરમતી આશ્રમ પાસે ઉપવાસ શરુ કર્યો હતો. વિપક્ષનો આરોપ હતો કે આ બનાવોમાં લગભગ 4 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જેમાં માત્ર કૃષિમંત્રીઓ જ નહિ પરંતુ સંપૂર્ણ ભાજપ સરકાર જ સંલિપ્ત છે.કારણ કે ક્યાં ગોડાઉનમાં મગફળી રાખવી એ માહિતી રાજ્ય સરકારે કોન્દ્ર સરકારને આપી હતી.
જેમ કે આપને જણાવી દઈએ કે સીઆઇડી અને કરાયં બ્રાન્ચથી થવાં જતી તપાસ વારંવાર રાજ્યનાં કૃષિમંત્રી આર. સી. ફળદુ દ્વારા ફગાવી દેવામાં આવતી હતી.જેથી શંકા વધુ ગાઢ થતી જતી હતી.