Bollywood/ ઝૈદ દરબારે કેમ ગૌહર ખાનને લગ્ન કેન્સલ કરવાની ધમકી આપી હતી?

ગૌહરે જણાવ્યું કે તેના પતિ ઝૈદ દરબાર લગ્ન કેન્સલ કરવાના હતા. અભિનેત્રી કહે છે, ‘ઝૈદે મને કહ્યું હતું કે હું બધી જ વસ્તુઓ સાથે મેનેજ કરી શકું,

Trending Entertainment
લગ્ન

અભિનેત્રી ગૌહર ખાને ગયા વર્ષે ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. બંનેના પ્રેમસંબંધ અને પછી લગ્ન ચાહકો માટે આશ્ચર્યજનક હતું. તેમના લગ્ન લોકડાઉનમાં થયા હોવાથી, લગ્નમાં માત્ર સંબંધીઓ અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. લગ્ન પછી તરત જ ગૌહર પોતાના કામ પર પરત ફરી હતી. હવે એક ઇન્ટરવ્યુમાં તેમણે કામ અને લગ્ન વચ્ચે સંતુલન બનાવવાની વાત કરી છે.

આ પણ વાંચો :મલાઈકા અરોરાના આ ફોટા જોઇને તમને નજર હટાવાનું મન નહી થાય

કોફી ટાઇમ વિથ ગૃહ સાથેની વાતચીતમાં ગૌહરે જણાવ્યું કે તેના પતિ ઝૈદ દરબાર લગ્ન કેન્સલ કરવાના હતા. અભિનેત્રી કહે છે, લગ્ન પહેલા ‘ઝૈદે મને કહ્યું હતું કે હું બધી જ વસ્તુઓ સાથે મેનેજ કરી શકું છું, તમારા વર્ક શેડ્યુલ  સાથે પણ. પરંતુ જો તમે લગ્નમાં મહેંદી નહીં લગાવો, તો તમે લગ્નની ના પાડી દો.’

Instagram will load in the frontend.

અગાઉ ગૌહરે એક ઇન્ટરવ્યૂમાં કામ વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું કે તે લગ્નના બીજા જ દિવસે લખનઉમાં 14 ફેરેનું શૂટિંગ માટે જવાનું હતું. આ દરમિયાન ઝૈદ ખૂબ જ સપોર્ટિવ હતો. તે કહે છે, ‘મારા પતિ ઝૈદે મારી સાથે શૂટમાં આવીને મોટું દિલ બતાવ્યું કારણ કે અમે હમણાં જ લગ્ન કર્યા હતા અને હું નવી દુલ્હન હતી. 14 ફેરે ના સમયે, મારા લગ્નની મહેંદી મારા હાથ પર હતી. મને ખબર નથી કે અલ્લાહે આ કેવી રીતે કર્યું પરંતુ લગ્ન પછી ફિલ્મના મારા તમામ દ્રશ્યો લગ્નના દ્રશ્યો હતા.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ આ દિવસે થશે રિલીઝ, સામે આવ્યું નવું પોસ્ટર

આપને જણાવી દઈએ કે ગૌહર અને ઝૈદ લગ્નના કેટલાક મહિનાઓ બાદ હનીમૂન પર ગયા હતા. તેણે આ સુંદર ક્ષણ માટે મોસ્કો પસંદ કર્યું જ્યાંથી તેની તસવીરો ખૂબ વાયરલ થઈ. બંને બીટાઉનના લોકપ્રિય અને સૌથી પ્રિય કપલ્સમાંના એક છે. લગ્ન પછી, ગૌહર તાંડવ વેબ સિરીઝમાં જોવા મળી હતી, જેમાં તેના અભિનયે વિવેચકો અને દર્શકો બંનેની પ્રશંસા મેળવી હતી.

ગૌહર ટૂંક સમયમાં ફિલ્મ 14 ફેરેમાં જોવા મળશે જેમાં કૃતિ ખરબંદા અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગૌહરનું પાત્ર પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં તેમનો એક સંવાદ દિલ્હીનો મર્લ સ્ટ્રીપ હું મૈં છે. ગૌહરના આ સંવાદને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો :પોર્ન મામલામાં ફસાયેલા રાજ કુંદ્રાની વધી મુશ્કેલીઓ, હવે આ કેસમાં લાગ્યા આરોપો

આ પણ વાંચો :સોનૂ સૂદના જન્મદિવસ પર જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો