- કચ્છમાં કેનાલમાં ડૂબતા પાંચના મોત
- મુન્દ્રાના ગુંદાલા પાસેની ઘટના
- તમામના મૃતદેહ બહાર કઢાયા
- પરિવારમાં આક્રંદ
- હોસ્પિટલ બહાર પરિવારજનો ઉમટ્યા
કચ્છના મુન્દ્રા તાલુકામાં ગુંદાલા ગામે નર્મદા કેનાલમાં ડૂબવાથી 5 લોકો ડૂબી જતાં મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુંદાલા ગામની પાસે આવેલી નર્મદા કેનાલમાં આ બનાવ બન્યો હતો. મૃતકોમાં 3 મહિલા સહિત 5 લોકોના મોત નીપજ્યા હોવાની વિગતો મળી છે.
ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિને બચાવવા જતા એક પછી એક એમ 5 લોકો ડૂબી જવાનો આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.તમામ મૃતદેહ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક સથવારા સમાજના છે. એક સાથે પાંચ પાંચ મોતથી ગુંદાલા, મુન્દ્રા સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી છવાઈ ગઈ છે. આ બનાવને પગલે રાજકીય, સામાજિક આગેવાનો, ગ્રામજનો, પોલીસ ધટના સ્થળે દોડી ગયા હતા.
નોંધનીય છે કે આ ઘટનાની જાણ થતા રોલીસ અને રેસક્યુ ટીમ ઘટનાસ્થળે પોહચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી ,કેનાલમાંથી પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના નામની યાદી
રાજેશ ખીમજી
કલ્યાણ દામજી
હીરાબેન કલ્યાણ
રસિલા દામજી
સવિતાબેન