રાજકોટ/ નવાગામ પાસે નોનવેજના ધંધાર્થી સહિત પાંચ શખ્સોએ યુવાનની કરી હત્યા

રાજકોટ શહેરના સાત હનુમાન મંદિર પાસે છગન ભરવાડ તેમજ મુસ્લિમ શખ્સો વચ્ચે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

Gujarat Rajkot
Untitled 312 નવાગામ પાસે નોનવેજના ધંધાર્થી સહિત પાંચ શખ્સોએ યુવાનની કરી હત્યા

રાજકોટ શહેર આમ તો  સૌરાષ્ટ ની શાન ગણવામાં  આવે છે ત્યારે  હવે  આ રંગીલા   શહેરમાં  ગુનાખોરીના  કેસો વધતાં જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત જ કુવાડવા રોડ પર આવેલા સાત હનુમાનજી મંદિર પાછળ સોખડા રોડ પર ભરવાડ યુવાનને નોનવેજના ધંધાર્થી સહિત ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું  જાણવા મળ્યું છે।મટન-મચ્છીની દુકાને એકઠાં થતાં કુતરા કરડતા હોવા અંગે થયેલી બોચાલાલીના કારણે થયેલા હુમલા યુવાનની હત્યા થતા ભરવાડ પરિવાર દ્વારા વળતો હુમલો કરતા બંને પક્ષે એક એક ઘવાયા છે. પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોખડા ગામે રહેતા છગનભાઇ ઘેલાભાઇ ઝાપડા નામના 28 વર્ષના ભરવાડ યુવાન પર માલીયાસણ ગામના અસલમ ફકીર, કાદરશા ફકીર, ગુલામ હુસેન ફકરી, સાત હનુમાન મંદિર પાછળ સોખડા રોડ પર રહેતા રવિ મોહન પરમાર અને ધર્મેશ રમેશ પરમાર નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યાની મૃતકના ભાઇ મોતભાઇ ઘેલાભાઇ ઉર્ફે ગેલાભાઇ ઝાપડાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો ;અમદાવાદ / સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની લીધી મુલાકત

માલીયાસણના અસલમ ફકીર અને કાદશા ફકીરને સોખડા રોડ પર મટન-મચ્છીની દુકાન હોવાથી તેઓ કુતરાને નોનવેજ ખવડાવી એકઠાં કરતા હોવાથી કુતરા રાહદારીઓને કરડતા હોવાથી કુતરા ભેગા ન કરવા અંગે સમજાવતા બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે છરીથી હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદ નોંધાઇ છે.

અસલમ ફકીર, કાદર ફકીર, ગુલામ ફકીર, રવિ પરમાર અને ધર્મેશ પરમાર નામના શખ્સોએ છગનભાઇ ઝાપડા પર હુમલો કર્યો ત્યારે તેને બચાવવા જતા સગરામભાઇ ઘવાયા હતા. ઝપાઝપી દરમિયાન સામા પક્ષે અસલમશા રસુલશા ફકીર ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો ;Omicron નો ડર / જાપાને વિદેશી મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ, આ દેશોમાં કડક નિયમો કરવું પડશે પાલન