“કુદરત ધારે તો પળવાર પણ ન થાય” આ વાત કુદરતે બિલકુલ સાચી સાબિત કરી બતાવી છે અને હજુ કાલ સુધી દુષ્કાળની કારમી થપાટ વેઠી રહેલા કચ્છને રાતો રાત કાચા આકાશી સોનાંથી સિંચી લીધું છે અને તેે પણ અછતનાં ઓછાયા તળે થી. જોવાની મજા એ છે કે, જ્યાં પાણી માટે માણસો, પશુ-પંખી અને ઢોરઢાખર તરસતા હતા ત્યા કુદરતે કેવા નયન રમ્ય નજારા સર્જુ દિધા છે કે કહેવું જ પડે ” યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર”
જી હા કચ્છનો નખત્રાણા તાલુકો, જે અછતનાં ભણકારા તળે કાલ સુધી ભયભીત હતો, ત્યા કુદરતે મહેર વરસાવી અને ખુબ સારા વરસાદનાં કારણે પ્રાકૃતિક સૌંદર્યનો અદભુત નજારો સર્જી દીધો છે. ભુજ નખત્રાણા હાઇવે પર પુરાતન પુરેશ્વર મંદિર પાસે આવેલ પાલરગુનાં ધોધ ખીલી ઉઠ્યો છે અને સોળે શણગાર સાથે ફરી શરૂ થયો છે. વહેતા આ ધોધને વર્ણવા કરતા માળવો ઘટે જ ઘટે અને લોકો આ વહેતા ધોધનાં કુદરતી દ્રશ્ય નિહાળવા ઉમટી પડયા છે. કેમ ચૂકી જવાય આવી કુદરતની કૃપાથી
જોઇલો, આવો નયન રમ્ય નજારો, તમે કદાચ જ જોયો હશે………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.