એડવાઇઝરીમાં સરકારે કહ્યું છે કે, તુર્કીમાં હાલની સ્થિતિ કેવી છે ? તેવા તુર્કીની યાત્રા કરી રહેલા અનેક ભારતીય નાગરિકો તરફથી પ્રશ્નો મેળી રહેલા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં તમામ 1000 યુએસ સૈનિકોને આ ક્ષેત્રમાંથી પાછા ખેંચવાનો નિર્ણય લીધો ત્યાર બાદ કુર્દિશ અને તુર્કી વચ્ચેના તનાવ વચ્ચે આ સ્થિતિ આવી છે, કુર્દિશ દ્રારા USની આ મામલે દગ કરનાર તરીકે વ્યાપકપણે ટીકા કરવામાં આવી હતી, કુર્દિશ લડવૈયા ઇસ્લામિક રાજ્ય સામે યુ.એસ. સૈન્યની સાથે વર્ષો સુધી લડ્યા હતા.
ઉત્તર પૂર્વી સીરિયાના વિસ્તારોમાંથી US અને કુર્દિશ લડવૈયાઓને પરત ખેંચવાની અંતિમ તારીખ મંગળવારે સમાપ્ત થઈ ગઈ હતી, કારણ કે અંકરા અને વોશિંગ્ટન વચ્ચે 120 કલાકના સસ્પેન્શનની સમય રેખા આજે પૂર્ણ થય ગઇ છે. “તે ગુરુવારે રાત્રે 10 વાગ્યે શરૂ થઈ હતી અને તેથી તે મંગળવારે રાત્રે 10 વાગ્યે સમાપ્ત થાય છે,”
પીછેહઠ પછી, તુર્કી, તાલ અબ્યાદ અને રાસ અલ-આયન વચ્ચે 120 કિલોમીટર (75-માઇલ) “સલામત ઝોન” સ્થાપવા માંગે છે, તેઓએ ઉમેર્યું કે, આ પછી તે વધારીને 444 કિલોમીટર સુધી લંબાવાશે.
તુર્કીએ 9ઓક્ટોબરે સીરિયન કુર્દશ વાયપીજી લશ્કર વિરુદ્ધ સીરિયન બળવાખોર જૂથોને સમર્થન આપતી સીમા પારથી આક્રમણ શરૂ કર્યું હતું, જેને અંકરા દ્વારા “આતંકવાદીઓ” તરીકે જોવામાં આવતું હતું. બીજી તરફ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યા છે અને યુએન જનરલ એસેમ્બલી (યુએનજીએ) માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આપને જણાવી દઇએ કે પેરિસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ની મીટિંગમાં પણ તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે, જ્યાં પાકિસ્તાન તેની ધરતી પર આતંકી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે બ્લેકલિસ્ટથી બચવા માટે સફળ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.