રાહુલ ગાંધીએ માનહાનીના કેસમાં આજે અમદાવાદ કોર્ટમાં હાજરી આપી હતી. અમિત શાહ ની વિરુધ્ધમાં ટિપ્પણી આંગે તેમનીસમે આ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટમાં જજ દ્વારા તેમને પુછવામાં આવ્યું હતું કે, આપણે ગુન્હો કાબુલ છે, તો તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને કોઈ જ ગુન્હો કબુલ નથી. અને કોર્ટે તેમને જમીન આપ્યા છે અને આગામી 7 ડિસેમ્બરના રોજ સુનાવણી કરવામાં આવશે. કોર્ટે રાહુલ ગાંધીને 10000 ના બોન્ડ પર જમીન મંજૂર કર્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ રાહુલ ગાંધીના ગેરેંટર બન્યા હતા.
અમિત શાહ વિરુદ્ધ જબલપુરમાં જાહેર સભામાં ટિપ્પણી કરવા બાબતે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે ફરિયાદ કરી હતી. રાહુલ સામે બીજી ફરિયાદ ADC બેંક સામેના નિવેદનની છે. નોટબંધી સમયે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેમાં અમિત શાહ અને ADC બેંક વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. ખોટી રીતે 745 કરોડ બદલાયાનો આક્ષેપ કર્યો હતો. બંને કેસ માં રાહુલ ગાંધી ને કોર્ટે જમીન આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.