- ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે વિજય રૂપાણીએ મૌન તોડ્યુ
- ટ્વિટ કરી કહ્યું, ‘મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર’
- રૂપાણીએ કહ્યું, ‘કૉંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે ‘
- ‘કૉંગ્રેસ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે’
- ‘500 કરોડ તો શું 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી’
- ‘કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે’
- રૂપાણીએ બે પાનાની સ્પષ્ટતા કરતો લેટર પોસ્ટ કર્યો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી પર કોંગ્રેસના નેતા તરફથી ગંભીર આક્ષેપ લગાવ્યા હતા તેનો ખુલાસો કરીને ટ્વિટર પર કોંગ્રસને પલટવાર કર્યો હતો ,મને બદનામ કરવાનો આ ષડયંત્ર છે,કોંગ્રેસ એ ડૂબી રહેલુ જહાજ છેે,મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે ,500 કરોડના કૌભાંડના કોંગ્રેસના આરોપોને પૂર્વ સીએમ વિજય રુપાણીએ ફગાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યુ કે આ તેમને બદનામ કરવાનું ષઢયંત્ર છે. 500 કરોડ તો શું 5 રુપિયાનું પણ કૌભાંડ નથી થયુ. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યુ છે એટલે મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. વિજય રુપાણીએ કોઈ પણ જાતની તપાસ માટે પણ તૈયારી બતાવી છે. સવાલ પણ ઉઠાવ્યો કે જમીન જ કુલ 75 કરોડની છે તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે ?
500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર
કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા @INCGujarat ની ચાલ
500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે pic.twitter.com/KRrQUmmoLh
— Vijay Rupani (@vijayrupanibjp) February 22, 2022
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ 3 પેઈજનો પત્ર ટ્વિટ કરી તમામ આરોપોને ફગાવી દીધા હતા રૂપાણીએ કહ્યું, 500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ગુજરાત કૉંગ્રેસની ચાલ છે. 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે.