એક મોટા સમાચાર અનુસાર, મુંબઈ પોલીસે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના અન્ય નેતાઓને પોતાની કસ્ટડીમાં લીધા છે. કારણ કે તેઓ રાજ્યમંત્રી નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ભાજપના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને વિધાનસભાના અધ્યક્ષને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની તપાસ કરાવવા જણાવ્યું હતું.
બીજી તરફ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે આજે બોમ્બે હાઈકોર્ટને તેમને કસ્ટડીમાંથી મુક્ત કરવા માટે વચગાળાનો આદેશ પસાર કરવા વિનંતી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા મહિને મલિકની ધરપકડ કરવામાં આવી હતી.
આ સંદર્ભે, મલિકના વકીલ અમિત દેસાઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે, “પોલીસ અધિકારીઓ સંગઠિત અપરાધના કેસમાં તેમની સંડોવણીની આશંકા, કાલ્પનિક આધારો પર કોઈને બદનામ કરી શકતા નથી. આ મારી વિનંતી છે.” તે જ સમયે, મલિકના વકીલે કહ્યું, “અમે તેમની મુક્તિ પછી કોઈપણ તારીખે આ મામલાની સંપૂર્ણ સુનાવણી માટે જવા માટે તૈયાર છીએ, પરંતુ કૃપા કરીને તેમને વચગાળાની રાહત આપો. તે 16 દિવસ જેલમાં વિતાવી ચૂક્યા છે.
ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ઈડીએ 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા મલિકની ધરપકડ કરી હતી. આ સાથે કોર્ટે તેને સોમવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
હકીકતમાં, ED મુજબ, મલિકે શહેરના કુર્લા વિસ્તારમાં મુનીરા પ્લમ્બરની પૈતૃક સંપત્તિ હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પ્રોપર્ટીની વર્તમાન બજાર કિંમત 300 કરોડ રૂપિયાની આસપાસ છે.
આ પણ વાંચો :DCGIએ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ રસીને આપી મંજૂર
આ પણ વાંચો : ચૂંટણી પરિણામોને લઈને પંજાબ કોંગ્રેસની તૈયારી, પરિણામ પછી તરત જ ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ
આ પણ વાંચો :અખિલેશ યાદવને જેલના સળિયા પાછળ મોકલો, EVM વિવાદ પર BJP સાંસદ હરનાથ સિંહનું નિવેદન
આ પણ વાંચો : ટાયર ફાટતાં બેકાબૂ કાર DCM સાથે અથડાઈ, 6નાં મોત, CMએ વ્યક્ત કર્યો શોક