સમગ્ર રાજય માં જયારે કોરોના ની બીજી લહેર માં કેસો સતત વધતા જોવા મળી રહ્યા હતા જેમના પગલે સરકાર આ કેસો નિયંત્રણમાં લાવવા માટે સરકાર અથાગ પ્રયત્નો કર્યા.જેમના પગલે રાજ્ય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .તેમજ થોડાક સમય સુધી વ્યાપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા .તેમજ સરકારી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાની પરવાનગી આપવા માં આવી હતી .
હવે જયારે કોરોના કેસોમાં સતત ઘટડો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજય સરકાર દ્વારા આજ થી સવારે ૯ થી ૬ સુધી વ્યપાર ધંધા ખુલ્લા રાખવાની પરવાનગી અપાઈ છે .તેમજ રાજ્ય સરકારની બધી કચેરી આવતીકાલે ચાલુ રહેશે
રાજ્ય સરકારની મહત્વની જાહેરાત કરાઈ જેમાં રાજ્ય સરકારની બધી કચેરી આવતીકાલે ચાલુ રહેશે. તેમજ સોમવારથી રાજય સરકારની તમામ કચેરી અનેખાનગી ઓફિસો પણ 100 ટકા સ્ટાફની હાજરી સાથે કામ કરશે .