ગુજરાત/ સોમનાથ મંદિરમાં આજથી હવે શ્રધ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઇ શકશે

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. તેમજ કોવિડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે

Gujarat Others
Untitled 159 સોમનાથ મંદિરમાં આજથી હવે શ્રધ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઇ શકશે

રાજયમાં  આ વખતે કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . તેમજ વધતા જતા કેસને લીધે  ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં  આવ્યો હતો . જે હવે કેસો ઘટતા  હલાવી લેવામાં  આવ્યો છે . ત્યારેહાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઇડલાઈનની ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલક્ મંદિર, શ્રીરામ મંદિર,  ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે

મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઇપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. તેમજ કોવિડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી કાળજી કરવાની રહેશે. તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી. સિક્યોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.