અભિનેત્રી તેની તાજેતરની રિલીઝ ‘ગદર 2’ની સફળતાની ઉજવણી કરી રહી છે. પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અમીષાએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ એકવાર તેને ‘ગદર: એક પ્રેમ કથા’ પછી નિવૃત્ત થવા માટે કહ્યું હતું.
બોલિવૂડ હંગામા સાથે વાત કરતા, અમીષાએ કહ્યું, “ગદર જોયા પછી, સંજય લીલા ભણસાલીએ ખરેખર મારા માટે પ્રશંસાનો એક સુંદર પત્ર લખ્યો હતો, અને જ્યારે હું તેમને મળી ત્યારે તેણે કહ્યું, ‘અમિષા, તારે હવે નિવૃત્ત થવું જોઈએ.’ મેં વિચાર્યું, ‘કેમ?’ મને નથી સમજાયું”
સંજય લીલા ભણસાલીએ અમીષાને કહી આ વાત
અમીષાએ કહ્યું, “તેઓએ કહ્યું કારણ કે તમે બે ફિલ્મોમાં એવી સિદ્ધિ મેળવી છે જે મોટાભાગના લોકો તેમની આખી કારકિર્દીમાં હાંસલ કરી શકતા નથી. મુગલ-એ-આઝમ, મધર ઈન્ડિયા, પાકીઝા, શોલે જીવનમાં એક જ વાર બને છે, આ તમારી બીજી ફિલ્મ હતી, તો પછી શું?’ તે સમયે મને તે સમજાયું ન હતું કારણ કે હું એક બાળક હતી, હું ફિલ્મની દુનિયામાં ઘણી નાની હતી.”
અમીષાની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ
અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મને પછીથી આ વાતનો અહેસાસ થયો જ્યારે હમરાઝ, ભૂલ ભુલૈયા, હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ જેવી તમામ ફિલ્મો, ભલે તે સફળ હોય કે ન હોય, ગદર સાથે સતત તેની સરખામણી કરવામાં આવી, જે તેના માટે નુકસાનકારક સાબિત થઈ.”
ગદર 2 વિશે વાત કરીએ તો, ‘ગદર 2’ રિલીઝ થઈ ત્યારથી જ સ્થાનિક બજારમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મ તેના બીજા વીકએન્ડ કલેક્શનમાં ‘પઠાણ’ અને ‘બાહુબલી 2’ (હિન્દી)ને પછાડવામાં સફળ રહી છે.
આ પણ વાંચો:Bollywood Stars Own Land on Moon/બોલિવૂડના આ સ્ટાર્સે ચંદ્ર પર ખરીદી છે જમીન , કિંમત છે કરોડોમાં?
આ પણ વાંચો:Film Industry V/S Chandrayan/માધવનની ‘રોકેટરી’ થી અક્ષયની ‘મિશન મંગલ’ સુધી, જ્યારે ચંદ્ર પર પહોંચી ફિલ્મ ઇન્ડસ્ટ્રી!
આ પણ વાંચો:Bollywood/સંજય લીલા ભણસાલીએ ‘ગદર: એક પ્રેમ કથા’ બાદ અમીષા પટેલને આપી હતી આ સલાહ