આજે ગગનયાન મિશનનું પ્રથમ ટ્રાયલ મોકૂફ રાખવામાં આવ્યું છે. ISROના ચીફ એસ સોમનાથે કહ્યું કે, આજે ગગનયાનની ટ્રાયલ થઈ શકી નથી. ગગનયાનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષણ મિશનને લોન્ચિંગની માત્ર 5 સેકન્ડ પહેલા રોકવી પડી હતી. એસ સોમનાથે કહ્યું કે એન્જિન ઈગ્નીશન થઈ શકતું નથી. તેમણે કહ્યું કે ટેકનિકલ કારણોસર ટીવી-ડી1 બૂસ્ટર ઉડી શક્યું નથી. ભારતનું ગગનયાન મિશન 2040 માટે તૈયાર થઈ રહ્યું છે. ISRO પ્રથમ પરીક્ષણ તરીકે આજે શ્રીહરિકોટાથી મિશન લોન્ચ કરવા જઈ રહ્યું હતું અને તેને બંગાળની ખાડીમાં લેન્ડ કરશે.
લોન્ચ ક્યારે થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઈસરોએ જણાવ્યું છે કે પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) છે.
આ પરીક્ષણનો હેતુ એ જાણવાનો હતો કે જો મિશન ગગનયાન દરમિયાન કંઇક ખોટું થાય તો ભારતીય અવકાશયાત્રીઓની સલામત પરત કેવી રીતે સુનિશ્ચિત કરવી. આ પછી, વધુ બે પરીક્ષણો હાથ ધરવામાં આવશે, પછી ગગનયાન અવકાશયાત્રીઓ સાથે તેની ઉડાન માટે તૈયાર થશે.
આ પણ વાંચો: Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!
આ પણ વાંચો: Navratri/ આ અનોખા મંદિરમાં દીપ પ્રગટાવવા માટે ભક્તોની લાંબી લાઈન રહે છે, જાણો શું છે ઈતિહાસ
આ પણ વાંચો: નવરાત્રી 2023/ સાતમાં દિવસે કરો માં કાળરાત્રીની પૂજા, આસૂરી અને ખરાબ શક્તિઓનો થશે નાશ