અમદાવાદ,
લોક રક્ષક દળનની પરીક્ષા રદ્દ થતા હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પેપર લીક થવા પાછળ ભાજપના લોકોનો જ હાથ છે.
હાર્દિકે સરકાર પર વાકપ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ‘જો રુપાણીની સરકાર 9 લાખ લોકરક્ષક યુવાનોને ન સાચવી શક્તી હોય તો ગુજરાતની જનતાને કેમની સાચવી શકશે.
જો આવો મુદ્દો કોંગ્રેસનાં કાર્યકાળમાં બન્યો હોત તો ભારતીય જનતા પાર્ટીએ તેમની સરકાર પાડી દીધી હોત. મને લાગે છે કે કોંગ્રેસ પણ આ મુદ્દે નબળી પડી છે તે ઇચ્છત તો ઘણું કરી શકત.
જે યુવાન ભગત સિંહ બનવાનાં માર્ગે જવો જોઇએ જે યુવાન સરદાર વલ્લભ ભાઇ પટેલ બનવો જોઇએ, મહારાણા પ્રતાપ બનવો જોઇએ. જેને પોતાનામાટે સપનું જોયુ છે જે દેશની સેવા કરવા માંગે છે તેમનાં સપના પર મીંડુ વળી ગયુ.
વધુમાં કહ્યું હતું કે, ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ઇલાજ કરાવવો હોય તો તે બોમ્બેની હોસ્પિટલમાં જાય નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ઇલાજ કરાવવો હોય તો મુંબઇની હોસ્પિટલમાં જાય તેમને ગુજરાતની હોસ્પિટલ પર ભરોસો નથી. શું કરવાનું તો પણ કોઇ જ આ મુદ્દે બોલતુ નથી.