સમગ્ર રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતકી જોવા મળી હતી જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા . તેમજ અનેક લોકો ના મોત પણ થયા છે ત્યારે સરકાર દ્વારા આ કોરોના ની બીજી લહેર ને નિયત્રંણ માં રાખવા સરકાર અથાગ પ્રયત્નો કરતી જોવા મળે છે . વધતાં કેસો ને લીધે રાજય માં તમામ સરકારી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી . જે હવે કેસો ઘટતા ધીમે ધીમે લેવામાં આવી રહી છે .
ત્યારે આજે અમદાવાદખાતે 58 સેન્ટર પર જીપીએસસી ક્લાસ-1 અને ક્લાસ 2ની એક્ઝિક્યુટીવ એન્જિનીયરની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 14 હજાર 579 ઉમેદવારો આ પરીક્ષા આપશે. સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે . તેમજ બીજું પેપર બપોર બાદ 3 થી સાંજે 6 વાગ્યા સુધી લેવાશે.