Aravalli News/ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે 52 હજારની લાંચ લેતા અરવલ્લીમાં ગ્રામસેવક ઝડપાયો

ACBએ ફરિયાદને આધારે જાળ બિછાવીને આરોપીને ઝડપી લીધો

Gujarat Others

Aravalli News : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાર જણા વતી રૂ.52,000ની લાંચ લેતા અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતનો ગ્રામસેવક નરેશ એસ.પટેલ ACBની જાળમાં ફસાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ ચાર જણાની પ્રધાનમંત્રી આવાસ યોજના (પી.એમ.એ.વાય.) અંતર્ગત મકાન સહાય મંજુર થઈ હતી. જે બાબતે મકાન સહાયના કુલ-2 હપ્તા આ વ્યક્તિએના ખાતામાં જમા થયા હતા. જે પૈકી આરોપી ગ્રામસેવક(કરાર આધારિત) નરેશ પટેલે એક વ્યક્તિ પૈકી રૂ. 15,000 ની માગણી કરી હતી.

જે બાબતે આ વ્યક્તિઓએ ફરિયાદીને વાત કરતાં તેમની સંમતિથી ફરિયાદીએ આરોપી નરેશ પટેલ સાથે વાત કરતાં રકઝકના અંતે એક વ્યક્તિ પૈકી રૂ. 13,000 મળી કુલ4- સાહેદના રૂ. 52,000 ની લાંચની માગણી કરી હતી.આ વ્યક્તિઓ વતીથી ફરિયાદી લાંચની રકમ આરોપી નરેશ પટેલને આપવા માંગતો ન હતો. જેથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી. જેને આધારે ACBની ટીમે ગામ.કુણોલ તા.મેઘરજ જી.અરવલ્લી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા નરેશ પટેલ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મહાનુભાવોની શ્રેણીબદ્ધ વન ટુ વન બેઠક

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના છ આર્થિક પ્રદેશો માટેના ‘પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન’નું અનાવરણ કર્યું…