વિશ્વિક મહામારી સામે લડવા માટે વિશ્વભરના દેશોએ લોકડાઉનનો સહારો લીધો હતો. અને હવે ભારતમાં ધીરે ધીરે જન જીવન સામાન્ય બની રહ્યું છે. ત્યારે અનલોક 5 માટે જાહેર કરવામાં આવેલી કોરોના માર્ગદર્શિકા ની તારીખ લંબાવવા મા આવી છે.
India / ભૂતપૂર્વ CBI ડિરેક્ટર આર કે રાઘવનનો મોટો આક્ષેપ – ગુજર…
ગયા મહિનાના અંતમાં અનલોક -5 માટે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા હવે નવેમ્બરના અંત સુધી લંબાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતી આપી હતી. આ સાથે, કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે રાજ્યની અંદર અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં કોઈ વ્યક્તિ અથવા કોઈપણ સામાન પરિવહન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ માટે કોઈ અલગ પાસની જરૂર રહેશે નહીં.
Jammu Kashmir: હવે કોઈ પણ જમીન ખરીદી શકે છે, મોદી સરકારનો મોટો નિર્ણય…
gujarat / સીંગતેલમાં ભડકો, માંગ વધતા ડબ્બે રૂ.350 જેટલો ભાવ વધારો…
નોંધનીય છે કે 30 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે અનલોક 5 માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ અંતર્ગત 15 ઓક્ટોબર પછી સિનેમા હોલ, મનોરંજન પાર્ક, સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ગૃહ મંત્રાલયે સિનેમાઘરોને 50 ટકા ક્ષમતા સાથે ફરીથી ચાલુ કરવાની મંજૂરી આપી છે. તે જ સમયે, માર્ગદર્શિકામાં, સરકારે કહ્યું હતું કે 15 ઓક્ટોબર પછી, રાજ્ય સરકારો શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ખોલવા અંગે પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શકે છે. રાજ્ય સરકારને તેમના આ નિર્ણય દરમિયાન વિદ્યાર્થીઓના માતાપિતાની મંજૂરી જરૂરી રહેશે.
gujarat: જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !…
સરકારે કહ્યું હતું કે ઓનલાઇન / ડીસટન્સ લર્નિંગ જે રીતે ચાલે છે તે જ રીતે ચાલશે. જે શાળાઓને ખોલવાની મંજૂરી છે તેણે રાજ્યો / કેન્દ્રશાસિત રાજ્યના શિક્ષણશિક્ષણ વિભાગો દ્વારા બહાર પાડવામાં આવેલા એસ.ઓ.પી.નું ફરજિયાતપણે પાલન કરવું આવશ્યક છે.