કોરોનાનાં કહેરી કાળમાં એક નવા પ્રકારનાં રોગએ માથું ઉચક્યુ છે અને અનેક લોકો આ રોગની ઝપેટમાં આવે તેવી આશંકા સેવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ રોગની સામે ચાવચેતીના પગલે એટલે કે મ્યુકર માયકોસિસ રોગ અંગેની સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, મ્યુકર માયકોસિસ એ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને આ ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે અને આ ચેપ ગંભીર હોય છે.
મ્યુકર માયકોસિસ લાગુ પડતા લોકોમાં મૃત્યુનું પ્રમાણ 50% જેટલું જોવા મળી શકે છે. મ્યુકરમાયકોસિસના છૂટાછવાયા કેસો જોવા મળતા હોય છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ, વડોદરામાં મ્યુકર માયકોસિસના કેસો કોવિડ સંક્રમણ થયેલ દર્દીઓમાં જોવા મળ્યા છે.
જિલ્લાના અધિકારીઓ, તજજ્ઞઓ તથા મેડિકલ ઓફિસરઓ આ રોગ અંગે માહિતગાર થાય તે હેતુથી તેની ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા પાઠવી આપવામાં આવી છે
આહીં ક્લિક કરો અને વાંચો ગુજરાત સરકાર દ્વારા પાઠવવામાં આવેલી સંપૂર્ણ માર્ગદર્શિકા – મ્યુકરમાયકોસીસ રોગ અંગેનો પત્ર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…