સુરત જિલ્લામાં, કોરોના સંક્રમિત દર્દીઓમાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાયરસ તે લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે જેઓ ડાયાબિટીઝથી પીડિત છે અને કોરોના ચેપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તે જ સમયે, સુરતમાં આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ 50 દર્દીઓના કેસ નોંધાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 250 ચેપગ્રસ્ત દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને 50 થી વધુ દર્દીઓની આંખો નીકળવામાં આવી છે. જયારે અત્યાર સુધીમાં 4 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં હાલમાં આ રોગના 1000 દર્દીઓ નોંધાયા છે. આવનારા દિવસોમાં આ આંકડો ઝડપથી વધી શકે છે
નોંધપાત્ર વાત એ છે કે આ વાયરસની સારવાર માટે જરૂરી એમ્ફોટેરેસિન બી ઇન્જેક્શનનો અભાવ છે. જેમાં ડાયાબિટીઝના દર્દીના કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સતત 10 થી 12 દિવસ સુધી સ્ટીરોઈડ આપીને તેમના શરીરની સુગર લેવલ વધે છે. આવા દર્દીઓની રીકવરી પછી, આગામી 15 દિવસ માટે ઇએનટી ડોકટરોને બતાવવું જરૂરી છે. ડોકટરોના મતે સ્ટેરોયડ શરીરના વજન પ્રમાણે આપવામાં આવે છે. ઓક્સિજનની જરૂરિયાત વધે ત્યારે સ્ટેરોયડ આપવું દર્દીના લંગ્સમાં ઓક્સિજનને અટકાવે છે. ઓછી થતી ઓક્સિજનની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.
આ પણ વાંચો :અમીરગઢના જંગલમાંથી મળ્યા બે માનવ કંકાલ, પાસે પડ્યું હતું એક પર્સ
સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના એચઓડી ડોક્ટર જૈમીન કોન્ટ્રેક્ટરએ જણાવ્યું છે કે બુધવારે માઇકોસિસ વાયરસના ત્રણ દર્દીઓનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. એનેસ્થીસિયા આપ્યા પછી દૂરબીનથી ઓપરેશન કર્યું. અત્યારે ત્રણેય દર્દીઓની હાલત બરાબર છે. તેને આંખો અને નાકની આસપાસ દુખાવો થવા લાગ્યો હતો. તેમણે કહ્યું છે કે ડાયાબિટીઝના દર્દીને સ્ટેરોયડ આપ્યા પછી રોગ ફેલાવાની સંભાવના વધારે છે. ડોક્ટરને સ્ટેરોયડ આપતા પહેલા, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે દર્દીની સુગરનું સ્તર સ્થિર રહે છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં આ રોગના 25 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
શું છે મ્યુકોરમાઈકોસિસ?
મ્યુકર નામની ફૂગથી થતા રોગને મ્યુકોરમાઈકોસિસ કહેવાય છે. મ્યુકરમાઇકોસિસનો રોગ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની સારવારમાં સ્ટીરોઇડને કારણે સુગર લેવલ વધ્યું હોય કે રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય તેવા દર્દીઓ આ રોગનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો : વ્યારામાં ચાર ઇસમોએ બિલ્ડરને તલવારના 15 ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ
સામાન્ય રીતે, આંખ અને નાકના હાડકાની વચ્ચે આ રોગ થાય છે. આ બીમારીમાં ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. મ્યુકર લોહીની નસોમાં ઉછેર પામી, લોહીના પ્રવાહને બંધ કરી દે છે અને જે-તે પેશીનો નાશ (નેક્રોસિસ) કરે છે. મ્યુકરમાઇકોસિસ ફેફસામાં ફેલાય તો તેને ‘પલમોનરી માઇકોસિસ’ તેમજ ચામડીમાં થાય તો તેને ‘ક્યુટેનિઅસ માઇકોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે.
મ્યુકોરમાઈકોસિસના લક્ષણો
સાયનન્સ ઈન્ફેકશન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ માથાનો દુખાવો અને તાવ જેવી તકલીફો, ચેપ સાયનસની બહાર લાગે તો મોંની ઉપરનું જડબુ કોતરાઇ જવું નાકની આસપાસ સોજો થવો આંખ અને સાઇનસ પર લાલાશ (એરીથેંમા) અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં બ્લેક ફંગલથી અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત
મ્યુકોરમાઈકોસિસનું નિદાન અને સારવાર
મ્યુકોરમાઈકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના નિદાન માટે સીટી સ્કેન, એમઆરઆઇ, બાયોપ્સી અને બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ સારવારમાં એમ્ફોટેરેસિન-બીના ઈંજેકશનો 15થી 21 દિવસ સુધી આપવામાં આવે છે. અને ઓપરેશન દ્વારા નાકમાંથી મ્યુકરને દૂર કરવામાં આવે છે.
આ પણ વાંચો :ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ, PM મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા
આ રોગના દર્દીઓને સમયસર સારવાર આપવામાં ના આવે તો તેના ચહેરાનાં અનેક ભાગોને ઈજા પહોંચી શકે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે. આ રોગ આંખમાં થાય તો આંખ સોજી જાય છે અને કોઈવાર આંખ ખસી જાય (પ્રોપ્ટોસિસ) છે. આ રોગ દર્દીની રોશની છીનવી શકે છે. તેમજ મ્યુકરમાઇકોસિસ મગજમાં ફેલાઇ જાય દર્દીઓની હાલત ગંભીર થઇ જાય છે. તેની જીભ થોથવાય છે. ચહેરો વાંકોચૂકો થઇ જાય છે. મગજમાં પરૂ થઇ કોમાની સ્થિતિ ઊભી થાય છે.