અરવલ્લીના મેઘરજના કોલુન્દ્રા ગામના લાપતા શિક્ષકનો મૃતદેહ કુવામાંથી મળતા ચકચાર મચી ગઈ હતી. ગલજી ભાઈ નામનો શિક્ષક પોતાના વતન કોલુન્દ્રાથી લાપતા થયા હતા. મૃતક શિક્ષક બનાસકાંઠામાં ફરજ બજાવતા હતા. ગ્રામજનોએ કુવામાંથી રેસ્ક્યુ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આપને જણાવી દઈએ કે ગલજીભાઈ બનાસકાંઠા જિલ્લામાં નોકરી કરતો હતો.જે ચાર દિવસથી પોતાના વતન મેઘરજના કોલુન્દ્રા ગામથી લાપતા થયો હતો. જો કે કુવામાંથી શિક્ષકનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.