સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં ST બસની અડફેટમાં આવી જતા એક આશાસ્પદ વિધ્યાર્થીનું મોત નિપજ્યું છે.ધાંગધ્રા-રાજકોટ એસટી બસમાં ચઢવા જતા વિદ્યાર્થી નીચે પટકાયો હતો. જ્યાં બસનું પાછળનું વ્હીલ વિદ્યાર્થી પર ફરીવાળતા તેનું ઘટના સ્થળે જ કમકમટીભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જાતા બસ ચાલક ઘટના સ્થળેજ બસ છોડી ફરાર થઈ ગયો હતો.બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતનો ભોગ બનેલ વિદ્યાર્થી BSCમાં અભ્યાસ કરતો હતો.
જણાવી દઈએ કે બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડાઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.