અમદાવાદ,
છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઉપરીઅધિકારીઓના દબાણ વધી રહ્યું હોવાથી આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે કરાઈ ટ્રેનિંગ સેન્ટરના PSIએ આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ચાંદલોડિયામાં આવેલાં પોતાના ઘરે PSIએ આપઘાત કર્યો હતો. PSI રાઠોડે સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો છે. હાલ આ આપઘાત પાછળ કોઇ જ પ્રાથમિક કારણ બહાર આવ્યું નથી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને એફએસએલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેના રિપોર્ટ પરથી જ સાચ્ચી માહિતી સામે આવી શકશે.
આ પહેલા પણ વડોદરામાં એક પીએસઆઇ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરવામાં આવી હતી, જેમાં સ્યુસાઇટ નોટમાં ઉપરી અધિકારીઓનું દબાણ હોવાનું લખવામાં આવ્યું હતું. પીએસઆઇ રાઠોડના કિસ્સામાં પણ ઉપરી અધિકારીઓનું દબાણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.