ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખેડૂતોના જીપીસીએલ કંપની સામે ચાલતા આંદોલનમાં ખેડૂતોએ દૂધ તેમજ શાકભાજી બજારમાં વેચવાનું બંધ કર્યું છે. સાથે જ તારીખ 1.6.2018 થી 10.6.2018 સુધીના ખેડૂતોના ભારતબંધના એલાનને ખુલ્લું સમર્થન આપ્યું છે.
તેમજ 10.6.2018 સુધી આ કિસાનોના ભારતબંધના આંદોલનને વેગવંતુ બનાવશે. ખેડુતો રોષે ભરાઈ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યા છે.
ગીર સોમનાથ ખેડૂત આંદોલનમાં યુવાન ખેડૂતોએ મચાવ્યો હોબાળો હતો. કોડીનાર સુગર ફેકટોરિ રોડ પર યુવાન ખેડૂતએ મચાવ્યો હોબાળો હતો. દૂધ લઇ જતા ટેમ્પોમાંથી કેરબા કાઢી દૂધ રોડ પર ધોળી દીધું હતું.
ખેડૂતોનો રોષ જોઈ દૂધ ડેરી અને દૂધ લઇ જતા ટેમ્પો માલિકોમાં ફફડાટ ફેલાયો છે. દૂધ ડેરી માલિકોએ ડેરીયો બંધ રાખવાનું શરૂ કર્યું તો ટેમ્પો માલિકો દૂધ ભરવાનું ટાળી રહયા છે.
કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન
ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ કરવાની સહિતની માંગોને લઈને હળતાળ પર છે. આ જ પ્રમાણે ગત વર્ષે પણ મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં ૬ જેટલા ખેડૂતોના મોત થયા હતા.