ગાંધીનગર,
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વેપારીને માટે સારા સમચાર આપવામાં આવ્યા છે. વેપારીઓને લઇ રાજ્ય સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યભરમાં દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે. ૩૦ કરતા વધુ મહિલા કર્મચારીઓ હશે ત્યાં ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મહિલા કર્મચારીઓને સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી જ કામકાજ પર રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વેપારીઓને ફાયદો થશે અને રિટેલ બજારમાં પણ વેપારીઓ 24 કલાક દુકાનો ખુલ્લી રાખીને પોતાનો ધંધો વધારી શકે છે.