Gujarat Giants WPL 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેમાં પ્રથમ ટાઈટલ જંગ 5 ફ્રેન્ચાઈઝી વચ્ચે જોવા મળશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાવાની છે, જે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાવાની છે. નોંધનીય છે કે ટૂર્નામેન્ટમાં દરેક ટીમે 8 મેચ રમવાની છે જે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આનો અર્થ એ છે કે દરેક ટીમે બીજી ટીમનો બે વાર સામનો કરવો પડશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે.
જાણો કેવી છે ગુજરાત જાયન્ટ્સની આખી ટીમ
બેટ્સમેન: સોફિયા ડંકલી, સબીનેની મેઘના
બોલરઃ મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, શબનમ શકીલ
વિકેટ-કીપર્સ: બેથ મૂની, સુષ્મા વર્મા
ઓલરાઉન્ડર: એશ્લે ગાર્ડનર, હરલીન દેઓલ, ડીઆન્ડ્રા ડોટિન, એનાબેલ સધરલેન્ડ, સ્નેહ રાણા, જ્યોર્જિયા વેરહેમ, માનસી જોશી, દયાલન હેમલતા, તનુજા કંવર, હર્લી ગાલા, અશ્વિની કુમાર
ગુજરાત જાયન્ટ્સે જર્સી લોન્ચ કરી
સમાચાર છે કે ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ માટે તેની જર્સી લોન્ચ કરી છે. આ જાણકારી ફ્રેન્ચાઇઝીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.
વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે
ગુજરાત જાયન્ટ્સે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જર્સીનું લોન્ચિંગ ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે. આ સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે ‘તમારા સમક્ષ WPLની પ્રથમ સિઝન માટે અમારી જર્સી પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ અદભૂત જર્સી અમારી સિંહણના જુસ્સા અને ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે, જેઓ WPLની પ્રથમ આવૃત્તિમાં પોતાનું સર્વસ્વ આપવા તૈયાર છે.
ગુજરાત જાયન્ટ્સે જર્સી લોન્ચ કરતા પહેલા ટ્વિટ કર્યું હતું
જર્સીના લોન્ચિંગ પહેલા ગુજરાત જાયન્ટ્સ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘શું તમે અંદાજ લગાવી શકો છો કે WPLની પ્રથમ સિઝન માટે કોને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે?’ ફ્રેન્ચાઇઝીના આ ટ્વીટ પર ફેન્સે કોમેન્ટમાં એશ્લે ગાર્ડનર, બેથ મૂની અને હરલીન દેઓલનું નામ લીધું.
પાંચ ટીમો ભાગ લઈ રહી છે ભાગ
જણાવી દઈએ કે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે. તેમની વચ્ચે કુલ 22 મેચ રમાશે. સિઝનની પ્રથમ મેચ 4 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે.
આ પણ વાંચો: Italian Boat Capsize/ ઇટાલીયન બોટ દુર્ઘટનામાં 24થી વધુ પાકિસ્તાનીઓના મોતઃ પીએમ શહેબાઝ શરીફ
આ પણ વાંચો: Earthquake/ કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય