અમદાવાદમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેની હત્યા કરી છે.પત્નીના પરિવારજનોનો આરોપ છે કે પતિએ આ ત્રીજી પત્નીને મારી નાંખી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિએ પત્ની પર શંકાના કારણે મોતને ઘાટ ઉતારી દીધી છે. આધેડ ઉંમરની મહિલા પર પતિને ચારિત્રની શંકા હતી અને આ કારણે બન્ને વચ્ચે ઝઘડા પણ થતા રહેતા હતા.
નારોલમાં આવેલા અલિફ નગરમાં રહેતા અબુલે પતિએ મોડી રાત્રે તેની પત્ની શબનમ સૂતી હતી ત્યારે તેના પર હથોડા અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
મૃતક શબનમના સગાએ આક્ષેપ કર્યો છે કે અબુલ બહુ જ જુલમી હતો અને તે પત્ની શબનમની મારપીટ કરતો હતો.અબુલે અગાઉ ત્રણ લગ્ન કર્યા હતા.
અબુલ રાતે 3 વાગ્યે તેની પત્નીની તીક્ષ્ણ હથિયારથી માથાને ભાગે હુમલો કર્યો હતો અને એ પછી એનું ગળું દબાવ્યું હતું.
પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેના ભૂતકાળના ગુનાઓ પર પણ તપાસ કરશે.